અમદાવાદમાં નીટ પેપર લીક બાદ પુત્રને ગુમાવનારા પિતા વિરોધ કરવા દિલ્હી કેમ પહોંચ્યા?
અમદાવાદમાં નીટ પેપર લીક બાદ પુત્રને ગુમાવનારા પિતા વિરોધ કરવા દિલ્હી કેમ પહોંચ્યા?
દેશભરમાં NEET પરીક્ષા રદ થવા અને પેપર લીક મામલે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે.
આ આંદોલનમાં જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ જોડાયા છે.
NEET પરીક્ષાની તૈયારી કરતા અને પેપર લીક વિવાદ બાદ પોતાનો જીવ આપી દેનાર કહાન પટેલના પિતા પ્રશાંતભાઈ પટેલ પણ આ આંદોલનમાં જોડાયા છે.
બીબીસી સાથેની ખાસ વાતચીતમાં પ્રશાંતભાઈ પટેલે તેમના પુત્ર કહાનનાં સપનાં અને સિસ્ટમની નિષ્ફળતા વિશે વાત કરી હતી.
વીડિયો : રૉક્સી ગાગડેકર છારા અને પવન જયસ્વાલ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



