કૉક્રોચ જનતા પાર્ટીએ જણાવ્યું કે આ જગ્યાએ થશે સરકાર સાથે વાતચીત

ઇમેજ સ્રોત, Getty Images
કૉક્રોચ જનતા પાર્ટી એટલે કે સીજેપીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે કહ્યું છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સહિતની તેમની માગો યથાવત્ છે.
સૌરવ દાસે કહ્યું છે, “કોઈ ન્યૂટ્રલ જગ્યા પર અમારી વાતચીતની માગ સરકારે માની લીધી છે. અમને ખુશી છે. વાતચીત માટે કૉન્સ્ટીટ્યૂશન ક્લબ ઑફ ઇન્ડિયા સ્થળને પસંદ કરવામાં આવ્યું છે. અમને ખુશી છે કે સરકાર મોટા મન સાથે અમારી સામે આવી છે અને તે રસ્તા પર ઉતરેલા લોકોની વાત સાંભળવા તૈયાર છે.”
સૌરવ દાસે કહ્યું, “ તેઓ જંતર-મંતર પણ આવી શકતા હતા. પરંતુ અમે તેમની સામે વિકલ્પ રાખ્યો છે. અમે સમજી શકીએ છીએ કે જંતર-મંતર પર આવવામાં તેમને ખચકાટ અનુભવાતો હશે. અમે સમજદાર અને ભણેલા-ગણેલા લોકો છીએ. તેથી અમે તેમની સામે ન્યૂટ્રલ જગ્યાનો વિકલ્પ રાખ્યો.”
નીટ- યુજી પરીક્ષાના પેપર લીક થયા બાદ કૉક્રોચ જનતા પાર્ટીના સમર્થક શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને કેટલીક માગો સાથે દિલ્હીના જંતર-મંતર પર છેલ્લા એક મહિનાથી વધારે સમયથી આંદોલન કરી રહ્યા છે.
જોકે, આ માગોના સમર્થનમાં ઉપવાસ કરી રહેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક 26 દિવસો બાદ પોતાના ઉપવાસ સમાપ્ત કરી ચૂક્યા છે.


